Title :
કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પનું આયોજન |
---|
News Contant :
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા.૧૧/૦૨/૨૦૨૫ના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે.જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ પીવડાવવામાં આવશે. “કુપોષણ નિવારણ કેમ્પ”માં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.કિશોરીઓ, ધાત્રીમાતા – ગર્ભિણીમાતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે.સુવર્ણપ્રાશનના ફાયદાઓ: સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવા વાળું છે. તે આયુષ આપવા વાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે.સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે.અર્થાત સ્મરણશક્તિ ખુબ જ વધે છે.એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે. Author : pravin meriya |