Title :
આગામી નગરપાલિકા ચુંટણીની તૈયારી ના ભાગરૂપે આજે રાપરખાતે રાપર વિધાનસભા કોંગ્રેસ ની બેઠક મળી |
---|
News Contant :
આજ રોજ રાપરદેના બેંક ચોક સ્થિત પૂર્વ ધારાસભ્યશ્રીના જનસંપર્ક કાર્યાલય/કોંગ્રેસ કાર્યાલયમધ્યે આગામી નગરપાલિકા ની ચૂંટણી ને અનુલક્ષીને મીટીંગ યોજાઇ જેમાં મોટી સંખ્યામાંઆગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ચુંટણીના પ્રભારી શ્રીવી.કે.હુંબલ એ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યુ હતું કે આપણે સૌ સાથે મળીને આતાનાશાહી સરકાર સમક્ષ મજબૂત થઈને લડવાનું છે.આપણે સૌ જાણીએ છીએ કે આ અહંકાર થીભરેલી સરકાર ના રાજમાં લોકોને ઉપયોગી અને જીવન સુખાકારી કામગીરી કરવામાં તદ્દનનિષ્ફળ રહી છે અને માત્ર ને માત્ર લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે.રાપરના પીઠ આગેવાન શ્રી ભચુભાઈ આરેઠીયા એ પ્રાસંગિક પ્રવચન માં કટાક્ષ સાથે જણાવ્યુહતું કે ચુંટણી પહેલા ૪૦૦ પર ની વાતો કરવા વાળા ના નેતાની છાતી ૫૬ માથી ૨૬ થઈ ગઈછે. આ તાનાશાહીભાજપમાં તેમના લોકોને બોલવાની આઝાદી આપતી નથી.કોંગ્રેસ પાર્ટી હર હંમેશ પ્રજાના નાહિત માટે અથાગ પ્રયત્નો કરે છે.સત્તા પક્ષના લોકો ને બોલવાની આઝાદી સિનવાઈ જવાથીતેમની પાર્ટી ના લોકો મુંગળાઇ ગયા છે ત્યારી હવે એ સત્તા પક્ષના વરત પાણી થઈ રહ્યાછે ત્યારે ચૂંટાયેલ પ્રતિનિધિ પ્રજા વચ્ચે આવવાની વાતો કહે છે ત્યારે તેમનીપાર્ટીના કરેલ કામો જ તેમને સર્મશાર કરી દે છે હવે ભાજપ ના વરતા પાણી છે વધુમાંનહીં કેતા જણાવ્યુ હતું કે આ વખતની રાપર નગરપાલિકાની બોડી કોંગ્રેસ પક્ષ જ જીતશેતેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથોસાથ જણાવ્યુ હતું કે સત્તા પક્ષની રાપરનગરપાલિકા લોકોના કામો કરવામાં સાવ નિષ્ફળ ગઈ છે.રાપર શહેર કોંગ્રેસ સમિતિના યુવાપ્રમુખ અશોક રાઠોડે સરકાર સમક્ષ કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે આપણે સૌ એ સ્થાનિકમુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી નગરપાલિકા ચુંટણીમાં મજબૂતાઈ થી આ તાનાશાહી સરકારને માત આપી ખરેખર કામ કરવા સરકાર બનાવીશું રાપર શહેરના લોકો ગટર , પાણી, લાઈટો, સફાઇ જેવા મૌલિક સુવિધાઓ થી પણ વંચિત રહે છે તેમજ શહેરમા રખડતા ઢોરો યમદૂતો સાબિત થઈ રહ્યા છે પણ સત્તા પક્ષ દ્રારા જનતાના કોઈ પણ પ્રાણ પ્રશ્ને કામ કર્યું નથી તે થી રાપર ના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે હવે પરિવર્તન આવે પણ એના માટે આપણે સતત લોકોના પ્રશ્ને લડત આપતાં રહીશું એવો સંકલ્પ લઈને આગામી ચુંટણીમાં મજબૂતાઈથી ઝંપલાવીશુ અને વિજય બનીશું એવું આહવાન કર્યુંહતું.રાપર નગરપાલિકા ના વિપક્ષના નેતાશ્રી દિનેશભાઈ ચંદે એ જણાવ્યુ હતું કે સત્તાના પાવરમાં ધૂત રાપર નગરપાલિકા માં લોકોના કામો કરાવવા એક પ્રકારનો સંઘર્ષ છે.રાપરનગરપાલિકાના ખોખરી અને માત્ર નામશેષ કામગીરી થી લોકો કંટાળી ગયા છે.પ્રજાના હિતનાકામો કરવાની જરા પણ દિલજસ્તી જ નથી. નગરપાલિકાનાઅણઘટ આયોજનના કારણે રાપર શહેર મધ્યે રોડ રસ્તા,દૂષિત પાણીની ગટરો, આડેધડ રખડતા ઢોરો સહિત અનેક સમસ્યાઓ વારંવાર બહેરા તંત્રસમક્ષ રજુઆત કરવા છતાં સમસ્યા ઠેર ની ઠેર જ છે.આ વખતે રાપર ની જનતા પરીવર્તન નામૂડમાં છે.વધુમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખશ્રી જગુભા જાડેજાએ તેમના પ્રાસંગિકપ્રવચનમાં જણાવ્યુ હતું કે આ સત્તામાં ધૂત સરકારથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આસરકાર માત્ર ને માત્ર લોકોને હેરાન પરેશાન કરવાનું જ કામ કરે છે.આ સરકાર એ મોટા મોટાભ્રષ્ટાચાર કરવાનું કામ કરી રહી છે.રાપર શહેરના વિવિધ વિસ્તારો જે નગરપાલિકા નાઅંડરમાં આવે છે તેવા વિસ્તારમાં ગટર સમસ્યા હોય કે સાફ સફાઈ ની સમસ્યા હોય ગમેતેવી નાનામાં નાની સમસ્યા ના ઉકેલ માટે પણ અધિકારીશ્રીને વારંવાર ફોન કરવા છતાંલોકોની સમસ્યા નું નિરાકરણ કરવામાં આવતું નથી લોકો હવે પરીવર્તન જ ઈચ્છી રહ્યાછે.સૌ સાથે મળીને આ અહંકારી સરકારને માત આપવાની છે.આ સમયે રાપર વિધાનસભા કોંગ્રેસપરિવારના આગેવાનશ્રી વી.કે.હુંબલ , ભચુભાઇ આરેઠીયા , રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક રાઠોડ , ભચાઉ શહેરકોંગ્રેસ સમિતિના પ્રમુખ મનજીભાઈ રાઠોડ તથા રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભીખુભાઈ સોલંકી , રાપરનગરપાલિકાના વિપક્ષી નેતાશ્રી દિનેશભાઈ ચંદે ,મહાદેવપુરી ગોસ્વામી ,મહેશભાઈ ઠાકોર , સુખુભા જાડેજા ,હેતુભાસોઢા ,રાજાભાઈ પટેલ ,મહિન્દ્રસિંહ , કેશરભાઈ પરમાર ,પરબતભાઈ કારા , મામદભાઈ નોડે ,બાબુભાઈ દવે , રમઝૂભાઈ રાઉમા ,ભીમજીભાઈ ખોડ , દિનેશભાઈ ગોહિલ ,સંજયભાઈ , જશુભા , ઘનુભાજાડેજા , જશુભા ,ગોકળભાઈ સહિત મોટી સંખ્યામાં રાપર વિધાનસભાના કોંગ્રેસ આગેવાનશ્રીઓ બહોળીસંખ્યામાં હાજર રહ્યા હતા. Author : PRAVIN MERIYA |