Title :
શિક્ષણ ના ભેખધારી એવા સોની સમાજ માં જન્મેલા આજીવન વિદ્યાર્થી રવિલાલ જુઠાલાલ સોની |
---|
News Contant :
રામવાવ તાલુકો રાપરના એક સેવાભાવી અને શિક્ષણ ના ભેખધારી એવા સોની સમાજ માં જન્મેલા આજીવન વિદ્યાર્થી અને આજીવન શિક્ષક એવા રવિલાલ જુઠાલાલ સોની સાહેબ ની આજે પૂણ્ય તિથિએ એમના સ્મરણ સાથે ભવિષ્યમાં પ્રેરણા દાયક બને એવી એમની જીવન ઝરમર છે.રવિલાલ સોની સાહેબ નો જન્મ વિક્રમ સંવત 2000 ના ચૈત્ર વદ (બીજ) ને ગુરૂવાર તારીખ :- 16/04/1944 ના રોજ રાપર તાલુકાના રામવાવ ગામે થયો હતો.સોની સાહેબે ધોરણ 1 થી 7 સુધીનું પ્રાથમિક શિક્ષણ રામવાવ ગામમાં પૂર્ણ કર્યું. વર્ષ 1963 માં સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક થઈ.તેમની શિક્ષક તરીકે ની સેવાઓરામવાવ, વિજયપર, કુડા-જામપર, આધોઈ, ભરૂડિયા અને ત્રંબો જેવા ગામોમાં 39 વર્ષ સુધી અનેક બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કર્યું હતું.સોની સાહેબ શ્રીના સાનિધ્યમાં જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરેલું જેઓ ખુબ જ ઊંચા હોદ્દા પર બિરાજમાન છે, તે તેમની શિક્ષણ સેવાની સાક્ષી પૂરે છે. શિક્ષણ સેવા ઉપરાંત તેમણે જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે પણ વાગડ વિસ્તારમાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ.ભૂકંપ ના કપરા સમયમાં પણ ખૂબ જ પ્રશંસનીય સેવાકીય કામગીરી બદલ ભચાઉ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જે વાગડ વિસ્તારમાં સૌના માટે ગૌરવ સમાન છે.વતનભૂમિ રામવાવમાં પક્ષીઓને ચણ માટે વહેલી સવારે પ્રભાતફેરી, પશુઓ માટે બંધ પડેલ પિયાવાનું રીપેરીંગ કામ, માનવઆશ્રમના સંતશ્રી રાજેન્દ્રદાસના હસ્તે વૃધ્ધો માટે અન્નક્ષેત્ર શરુ કરાવ્યું. રામવાવ ગામ માં ભૂકંપ બાદ રામ મંદિર નવનિર્માણ ની કામગીરી તથા નવરાત્રી મહોત્સવમાં કરેલ કામગીરી બદલ આજે પણ ગામના બધા જ લોકો રવિલાલ સાહેબ ને શ્રીને યાદ કરે છે.તેમણે રામવાવ ગામમાં જન્મેલા કબીર, રવિભાણ સંપ્રદાયના મહાન સંતશ્રી ત્રિકમ સાહેબ ની તપોભૂમિ કાગનોરા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી કાગનોરા દલિત સમાજ ની પવિત્ર ધાર્મિક સ્થળ ના વિકાસ માટે પણ સતત કામ કરી સમગ્ર વાગડના દલિત સમાજ માં પણ લોકપ્રિયતા મેળવી હતી.તેમણે વર્ષ 1992 માં નહેરુ લોક સ્વરાજ્ય સંઘ ટ્રસ્ટની સ્થાપના કરી અને કપરી આર્થિક પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના વર્ષ 1994 માં રામવાવમાં માધ્યમિક શાળા શ્રી સરસ્વતી વિનય મંદિર માધ્યમિક શાળા શરૂ કરી છે. જે આજે વટવૃક્ષ બન્યું છે.જેમાં ધોરણ 9 અને 12 ના 200 થી પણ વધારે રામવાવ સહિત આસપાસના ગામોમાં થી વિદ્યાર્થીઓ શિક્ષણ અને સંસ્કારોના પાઠો ભણી રહ્યા છે.જે સોની સાહેબ નો શિક્ષણ પ્રત્યેનો લગાવ અને કામ કરવાની ધગશ બતાવે છે.તેમણે વિવિધ શૈક્ષણિક, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ તથા સરકારની વિવિધ યોજનાઓ ગામડાઓ સુધી પહોંચતી કરી હતી . સરકાર ના એચ.આઈ.વી.નાબુદી અભિયાન, જળસંચય કાર્યો, સમાજ ઉત્થાન ના આ સરાહનીય કામગીરી સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે .મિતભાષી, નિર્વ્યસની, સહનશીલતા, સાદાઈ, સ્વમાની, ઉદારતા, પરોપકાર જેવા અનેક સદ્ગુણો જેમના જીવનમાં હતા.કેળવણી ના બાળપણથી જ એમના માં ગુણો એમના સ્વર્ગસ્થ પિતા તથા માતા ના ગુણધર્મો હતા.એમના પિતા જુઠાલાલ સોની આઝાદી સમયના સ્વતંત્રતા સેનાની અને પ્રખર ગાંધીવાદી હતા.સ્વરર્ગસ્થ જુઠાલાલ સોની ને રવિશંકર મહારાજ તથા વિનોબા ભાવે સાથે કામ કરવા નો અવસર મળ્યો હતો.જુઠાલાલ સોની ના એ સમયના પ્રભાવ ને કારણે દલિત સમાજ ના કેટલાય યુવાનો રામવાવ ગામ માં એ સમયે શિક્ષણ ક્ષેત્રે ખૂબ ભણેલા,રવિલાલ સાહેબ ના પિતાજી એ રામવાવ ગામ તથા આસપાસના ગામોમાં અસ્પૃશ્યતા નિવારણ માટે જીવનપર્યંત ઝુંબેશ ચલાવી ને ગાંધીજી ના આદર્શો ને પૂરા કરવા પરિશ્રમ કરેલું.પિતાના આવા ગુણો રવિલાલ સાહેબ માં પણ ભારોભાર ઉતરેલા.રવિલાલ સાહેબે પ્રખર ગાંધીવાદી ઓ વાગડના ગાંધી કહેવાતા નીલપર ના દયારામ કેવળીયા તથા મણીભાઈ સંઘવી,વલભપર મગનભાઈ સોની સાથે વરસો સુધી સંપર્ક જાળવી રાખી સેવાના યજ્ઞમાં જોડાયા રહ્યા.તેઓ સમાનતા સાથે પછાત સમાજ ના બાળકો ભણીગણીને જીવનમાં આગળ વધે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેલા.રવિલાલ સાહેબ ના બે સુપુત્રો છે જેઓ તથા એમના ધર્મ પત્ની સરસ્વતી બેન,સુપુત્રો જયેશભાઈ અને જીતેન્દ્ર ભાઇ પણ પિતાના પગલે પગલે ચાલી ને રામવાવ ગામ માં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળા માં તન,મન ધન થી પિતા તથા દાદાજી ના સપનાઓ ને આગળ વધારી રહ્યા છે. Author : |